વાંકાનેર : વાંકાનેર તાલુકાના બોકડથંભા ગામે રહેતાસ સરોજબેન બાદરભાઈ સરાવાડિયા ઉ.17 નામની સગીરાને ગત તા.6ના રોજ રાત્રીના સમયે ઝાડા ઉલટી થતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા.7ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.








