Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં જલારામ જયંતીની શોભાયાત્રા અંગે કાલે લોહાણા સમાજની બેઠક યોજાશે

મોરબીમાં જલારામ જયંતીની શોભાયાત્રા અંગે કાલે લોહાણા સમાજની બેઠક યોજાશે

મોરબી : સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 226 મી જન્મજયંતિ નિમિતે આગામી તારીખ 29 ઓક્ટોબરને બુધવારના રોજ મોરબીમાં ભવ્યાતિભવ્ય શ્રી જલારામ બાપાની શોભાયાત્રા તેમજ દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાને લઇને મોરબીના રઘુવંશી પરિવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ આયોજનને નિખારવા માટે જ્ઞાતિબંધુઓની સાથે ચર્ચા ગોષ્ટીરૂપે મોરબી રઘુવંશી સમાજની મહત્વ ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે.

આ મિટિંગ તારીખ 14મી ઓક્ટોબરને મંગળવાર ના રાત્રે 09:30 કલાકે મોરબીના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજાશે. આ મિટિંગમાં લોહાણા સમાજની તમામ સંસ્થાઓ, તમામ હોદેદારો, મહિલા સંગઠનો, સમાજ શ્રેષ્ટીઓ, વેપારી મિત્રો તેમજ કમિટી મેમ્બર્સ બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહેવા શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિએ આમંત્રણ પાઠવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments