વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ ઇટાલીનો સિરામિક ફેકટરીમાં ગત તા.17ના રોજ રાત્રીના સમયે માટી ખાતાના ચાલીને જઈ રહેલા રાજુલાલ શંકરલાલ નાયક નામના યુવકને જીજે – 36 – એસ – 3472 નંબરના લોડર ચાલકે બેફિકરાઈથી પાછળ જોયા વગર લોડર ચલાવી હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા રાજુભાઈનું મોત નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પત્ની સાવિત્રીબેને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં લોડર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.








