Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમહેન્દ્રનગરથી બહુચરાજી માતાજી સુધીની પવિત્ર પગયાત્રાનો પ્રારંભ

મહેન્દ્રનગરથી બહુચરાજી માતાજી સુધીની પવિત્ર પગયાત્રાનો પ્રારંભ

મોરબીના મહેન્દ્રનગર ગામના ભક્તો દ્વારા દર વર્ષે બહુચરાજી માતાજીના મંદિર સુધીની પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ પવિત્ર યાત્રાનું સતત 17મું વર્ષ છે, જેમાં આશરે 200થી વધુ ભક્તો ઉત્સાહભેર જોડાયા છે. આજથી આ યાત્રાનો પ્રારંભ થયો છે.

આ યાત્રાનું આયોજન કિશોરભાઈ બોપલિયા, અંબારામભાઈ રાજપરા, વીરજીભાઈ શેરીસિયા, કાંતિભાઈ સનાવડા, કારૂભાઈ કૈલા, મનજીભાઇ દેત્રોજા, પ્રાણજીવનભાઈ અને મહેન્દ્રનગર મિત્રવર્તુળ દ્વારા ભારે જહેમત ઉઠાવીને આ પદયાત્રા કરવામાં આવે છે. ભક્તિ, એકતા અને શ્રદ્ધાથી ભરેલી આ યાત્રા ગામના યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે. સતત 17 વર્ષથી ચાલતી આ પરંપરાએ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામૂહિક સંકલ્પ શક્તિ, એકતા, ભાઇચારો અને સૌહાર્દનો પણ સંદેશ આપે છે. આ પદયાત્રા શ્રદ્ધા, સમર્પણ, ત્યાગ અને સામાજિક સમરસતાનું પ્રતિક બની રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments