મોરબી : મોરબીમાં આગામી બુધવારે કોંગ્રેસ દ્વારા સ્નેહમિલન અને જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રદેશ પ્રમુખ, પૂર્વ ધારાસભ્યો સહિતના અનેક નેતાઓ સભા ગજવશે. આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ વિગતો જાહેર કરતા જણાવ્યું છે કે પંચાસર ચોકડી પાસે આવેલ ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં તા.29ને બુધવારે સાંજે 4 વાગ્યે સ્નેહ મિલન તથા જન આક્રોશ સભા યોજાનાર છે. આ કાર્યક્રમ જનતાના હક્ક, ન્યાય અને બદલાવના સંકલ્પનો ઉત્સવ છે. કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરી, પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા અને મહમદ જાવેદ પીરઝાદા સહિતના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. અંતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.











