Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા રક્તદાન શિબિર અને હુતાત્મા સ્મૃતિ કાર્યક્રમનું...

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા રક્તદાન શિબિર અને હુતાત્મા સ્મૃતિ કાર્યક્રમનું આયોજન

મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ મોરબી પ્રખંડ અને મોરબી ગ્રામ્ય દ્વારા તા. 2-11-2025 ને રવિવારના રોજ સંસ્કારધામ બ્લડ બેંક, જી.આઈ. ડિ.સી મેઈન રોડ,મોરબી ખાતે સવારે 9 થી બપોરે 1:30 કલાક દરમિયાન રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા પણ તા. 1-11-2025ને શનિવારના રોજ લુહાણા મહાજન વાડી ખાતે સવારે 9 કલાકથી બપોરે 1:30 કલાક સુધી રક્તદાન શિવિર તથા જાહેર જનતાની સેવા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બપોરે 12:30 કલાકે સ્વરૂચિ ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ કાર્યક્રમમાં રક્તદાન કરી આ કાર્યક્રમમાં સહભાગી થવા વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. મહત્વનું છે કે, વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ મોરબી પ્રખંડ અને મોરબી ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે શ્રી રામજન્મભૂમિ મુક્તિ આંદોલનમાં પ્રથમ કારસેવામાં તત્કાલ સરકાર દ્વારા ગોળીબાર કરી કારસેવકોની નિર્મમ હત્યા કરવામાં આવી આ હત્યાકાંડમાં બલિદાન થયેલ તમામ હુતાત્માઓની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments