મોરબી : 30 ઓક્ટોબરના રોજ મોરબીમાં બનેલી ઝુલતા પુલ દુર્ઘટનાને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામ દિવંગત આત્માને તૃતિય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને તમામ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.














