(મયુર રાવલ હળવદ) :હળવદ તાલુકાના ચરાડવા ગામે જીકીયારી ગામે જવાનો રસ્તામાં સ્થાનિક લોકો દ્વારા ઉકરડા કરી નાખવામાં આવતા ખેડૂતોને માલ લઈ જવા લાવવામાં મુશ્કેલી થતી હોય આ બાબતે બે મહિના અગાઉ ગ્રામ પંચાયતે રજૂઆત કરી હતી અને ત્યારબાદ ગ્રામ પંચાયતે મામલતદારને રજૂઆત કરી હતી પરંતુ આજ દિન સુધી કોઈ પણ જાતનો નિવેડો ન આવતા ખેડૂતો અને આગેવાનોને સાથે રાખી આજે હળવદ મામલતદારને આ રસ્તો ખુલ્લો કરી આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે અવારનવાર રજૂઆત થતા તંત્ર દ્વારા કોઈપણ જાતનો નિવેડો ન આવતા ખેડૂતોને પોતાની વાડીએ જવા માટે અને જ્યારે ખેતપેદાશ નીકળે ત્યારે પોતાનો માલ લાવવામાં મોટી તકલીફ હોય તાત્કાલિકના ધોરણે આ ઉકેળાનું દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉકરડા ની ગંદકીથી બાજુની ચૈતન્યનગર સોસાયટી અને બાજુમાં આવેલ સ્કૂલના બાળકોને પણ રોગચાળનો ખતરો હોય આ કામગીરી તાત્કાલિકના ધોરણે દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી.











