મોરબી: મોરબીમાં સમસ્ત દશનામ ગોસ્વામી સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્નેહમિલનનું આયોજન આગામી 9 નવેમ્બર ને રવિવારના રોજ કરાયું છે. આ સમારોહમાં ગોસ્વામી જ્ઞાતિનાં તેજસ્વી વિદ્યાર્થીઓનો જેમાં KG થી કોલેજ સુધીનાનો સન્માન સમારોહ તેમજ જ્ઞાતિનું સ્નેહમિલનનો કાર્યક્રમ તારીખ 09/11/25 ને રવિવારના રોજ ગોસ્વામી વાડી મોરબી મુકામે સાંજે 4 થી 8 કલાકે રાખેલ છે. જેમાં તેજસ્વી તારલાઓ, તેમના વાલીઓ અને જ્ઞાતિ ભાઈ બહેનોએ સહકુટુંબ પધારવા આમંત્રણ આપવામાં આવે છે. જેમાં ધોરણ 1 થી કોલેજ સુધી માં પહેલો અને બીજો નંબરને શિલ્ડ અને બાકીના સર્વેને પ્રોત્સાહિત ભેટ આપવામાં આવશે તેવું ટ્રસ્ટના પ્રમુખ નટુપરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.








