મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામ નજીક આવેલ રિયોગ્રેનાઈટો સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના વતની રીંકુબેન કમલભાઈ મોરે ઉ.વ.19 નામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજયું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રીંકુબેનના પાંચ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું સામે આવતા ડીવાયએસપી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.








