ટંકારા : ABVP ટંકારા દ્વારા ટંકારાની ઓરપેટ મહિલા કોલેજમાં રાણી લક્ષ્મીબાઈની જન્મ જયંતી નિમિત્તે રાણી લક્ષ્મીબાઈના જીવનચરિત્ર પર સંગોષ્ઠિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને બહેનોને આત્મરક્ષણ અને સાયબર અવેરનેસ માટેની જાણકારી પૂરી પાડવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક વિજયભાઈ રાવલ, ટંકારા મહિલા પોલીસ ટીમ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ વિભાગ સંગઠન મંત્રી જયદીપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.














