દિવાની જ્યોતથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામે મધરાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ પ્લોટ વિસ્તારમાં મગફળીના ભૂકામાં અચાનક ભીષણ આગ ભડકી ઉઠી હતી. આગની ભીષણ જ્વાળાઓ એટલી ઝડપથી ફેલાઈ કે થોડીવારમાં જ 70 વિધાના મગફળીનો આગમા રાખ થઈ ગયો હતો. જો કે હાલ દિવાની જ્યોતથી આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરાયું છે.
ટંકારાના જબલપુર ગામે રહેતા માલધારી રાજુભાઈએ પોતાનો ચારો જે જગ્યાએ રાખ્યો હતો ત્યાં મગફળીના ભૂકા સંગ્રહ કરાયા હતા. તે જ જગ્યાની બાજુમાં નાનું મંદિર હોવાથી ત્યાં દિવાની જ્યોત પ્રગટાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે દિવાની જ્યોતથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ આગની જાણ ગામના સરપંચ પ્રવીણભાઈ પરમારને થતાં તેમણે તુરત જ ટંકારા પોલીસ સ્ટેશન તેમજ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી હતી. જો કે તે પહેલાં જ આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આથી મોટાભાગનો મગફળીનો ભૂકો આગમાં સ્વાહા થઈ ગયો હતો.











