PSI/કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી માટે મોરબીમાં ફ્રી માર્ગદર્શન સેમિનાર
પોલીસ વિભાગમાં હાલ મોટી સંખ્યામાં ભરતી જાહેર થતાં PSI અને કૉન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે નવયુગ કરીઅર એકેડમી દ્વારા ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના યુવાન-યુવતીઓને યોગ્ય દિશા મળે તે હેતુથી પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, શું વાંચવું, કયા વિષયમાંથી કેટલા પ્રશ્નો પુછાય છે જેવા અગત્યના મુદ્દાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે.
આ સેમિનારમાં સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાત અને પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઈ સગપરિયા માર્ગદર્શન આપશે. મોરબીના તમામ વિદ્યાર્થીઓને આ તકનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે. વોટ્સએપ નંબર: 97272 47472 પર નોંધણી કરાવી શકશો આ સેમિનાર તારીખ 07/12/2026, રવિવારના સાંજે 4 થી 6 કલાકે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર સેમિનાર હોલ, જી.આઈ.ડી.સી., શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે.











