મોરબી મહાપાલિકાના વોટર વર્કસ શાખા દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે. સુરજ બાગમાં બગીચાની કામગીરી પ્રગતિમાં હોવાથી, ગૌશાળા હેડવર્ક્સથી સુરજ બાગ હેડવર્ક્સની મેઇન લાઇન પર વાલ્વ સીટીંગની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ કામગીરીના કારણે આવતીકાલ તારીખ 16/12/2025 થી 18/12/2025 સુધી ત્રણ દિવસ પાણી વિતરણ બંધ રહેશે. આનાથી પ્રભાવિત થનાર વિસ્તારોમાં માધાપર વિસ્તાર, સોમૈયા સોસાયટી, ભગવતી પરા, નવડેલા રોડ, નાસ્તા ગલી, પખાલી શેરી, ગેસ્ટ હાઉસ રોડ, નાગર પ્લોટ, વીસી પરા તેમજ દાણાપીઠ હેડવર્ક્સ, પંચાસર હેડવર્ક્સ, સૂરજ બાગ હેડવર્ક્સ, અને રણછોડ નગર હેડવર્ક્સ જેવા દરબાર ગઢ હેઠળ આવતા વિસ્તારોમાં પણ પાણી વિતરણ બંધ રહેશે તેવું સિટી ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.










