વિદ્યાર્થીઓને આજની ભાગદોડ ભરી જીંદગીમાં સુખ-શાંતિ ભરી જીવનશૈલી માટે મોટીવેટ કરાયા
મોરબી : પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા ૨૧-ડીસેમ્બર વિશ્વ-યોગ દિવસ નિમિતે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે “બિલિયન-મિનિટ્સ ઓફ પીસ અપીલ” પ્રોગ્રામ યોજાવા જઈ રહ્યો છે. આ નિમિતે સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળોએ શાંતિદાન માટે સોવામાં થઈ રહી છે. ત્યારે બ્રહ્મા-કુમારીઝ સંસ્થા મોરબી દ્વારા મોરબીની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને શાંતિનું દાન આપવામાં આવ્યુ હતું.
મોરબીમાં બ્રહ્મા-કુમારી બહેનો દ્વારા મોરબીની અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને આત્મિક માર્ગદર્શક આપી સમગ્ર વિશ્વમાં શાંતિનુ દાન આપવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેસડા પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ, વિધ્યા મંદિર બગથળા ગિબ્સન મિડલ સ્કુલ મોરબી, વાત્સલ્ય વિદ્યાલય મોરબી, અભિનવ સ્કુલ મોરબી ઓમ શાંતિ વિદ્યાલય મોરબી તથા જિનીયસ ટ્યુશન ક્લાસિસ મોરબીમાં શાંતિદાન માટેના સેશન યોજીને વિદ્યાર્થીઓને આજની ભાગદોડ ભરી જીંદગીમાં સુખ-શાંતિ ભરી જીવનશૈલી માટે મોટીવેટ કરવામાં આવ્યા હતા. શૌતિ-હાન મારે નો એશન યોજીને વિધક્ષક વિદ્યાર્થીઓ ને ભાગ-દોડ ભરી છે જિંદગીમાં શુખ-શાંતિ ભરી જીવનશૈલી માટે શૌતિ- દાન માટી સમજાવવામાં આવ્યા હતા.

















