હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા ઉ.34 નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોવાથી માતાપિતાએ કામ ધંધો કરવાનું કહેતા યુવકને લાગી આવ્યું હતું અને ઘરે એકલતાનો લાભ લઇ રૂમમાં એન્ગલ સાથે ડિશ કનેક્શનનો વાયર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.









