મોરબીના નવલખી રોડ પર આવેલા યમુનાનગર સોસાયટી, શ્રદ્ધા પારર્ક સોસાયટી અને બોડાસર વાડી વિસ્તારમાં ગુજરાત સરકારના પ્રવર્તમાન અશાંતધારો લાગુ કરવા બાબતે આજ રોજ આ વિસ્તારના રહીશોએ કલેક્ટર કચેરીએ રૂબરૂ જઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
રજૂઆતમાં રહીશોએ જણાવ્યું હતું કે, યમુનાનગર સોસાયટી, શ્રદ્ધા પાર્ક સોસાયટી અને બોડાસર વાડી વિસ્તારમાં હિન્દુઓની બહુમતી વસ્તી છે. આવનારા સમયમાં અન્ય ધર્મના લોકો વસવાટ કરે તો આ વિસ્તારમાં શાંતિનો ભંગ થાય તેમ છે. હાલ મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી ચાલુ હોય અમારા વિસ્તારમાં હિન્દુ સિવાયના ધર્મના લોકો આવે તેવી શક્યતા છે. તેથી આ વિસ્તારના હિન્દુઓ પોતાનું જીવન શાંતિથી અને સુખાકારીથી જીવી શકે અને અન્ય ધર્મના લોકો વસવાટ કરવા ન આવે તે માટે આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.











