મોરબી : શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર દ્વારા તા. 10-01-2026 ને શનિવારના રોજ સાંજે 4 થી 7 કલાકે અને તા. 11-01-2026 ને રવિવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમ્યાન મોરબી પ્રેરિત કેન્સર નિદાન કેમ્પનું આયોજન દાતા સુવર્ણાબેન સુરેશભાઈ મહેતા (મુંબઈ) દ્વારા ડી.સી.મહેતા સાર્વજનીક ડીસ્પેન્સરી ટ્રસ્ટ-3, નવાડેલા રોડ, મોરબી ખાતે આયોજન ક૨વામાં આવ્યું છે. આ કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાત સર્જન વિક્રમભાઈ સંઘવી દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવશે. આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા માટે દર્દીઓએ પોતાના નામની નોંધણી ડીસ્પેન્સરી મેનેજર મયુરભાઈ વોરા મો.નં.9537099219 પાસે કરાવવાની રહેશે તેમ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવાયું છે.










