Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લાના વકીલ મિત્રો માટે 31 જાન્યુઆરીએ સ્નેહમિલન તથા સન્માન સમારોહ યોજાશે

મોરબી જિલ્લાના વકીલ મિત્રો માટે 31 જાન્યુઆરીએ સ્નેહમિલન તથા સન્માન સમારોહ યોજાશે

મોરબી જિલ્લાના કાયદાકીય ક્ષેત્રના વ્યાવસાયિકો અને વકીલ મિત્રો વચ્ચે પરસ્પર સ્નેહ અને સંકલન વધે તેવા હેતુ સાથે આગામી સમયમાં એક ભવ્ય ‘સ્નેહમિલન તથા સન્માન સમારોહ’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહમિલન સમારોહ આગામી તારીખ 31/01/2026 ને શનિવારના રોજ રાજકોટ-મોરબી હાઈવે પર લજાઈ પાસે આવેલ ‘ક્લબ 36’ (Club 36) ખાતે યોજાશે. જેમાં કાર્યક્રમનો પ્રારંભ સાંજે 6:30 કલાકે થશે.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના કાયદાકીય ક્ષેત્રના અગ્રણીઓનું સન્માન કરશે. જેમાં મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ડી.આર. અગેચાણીયા તથા તેમની સમગ્ર ટીમનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત, મોરબી જિલ્લાના વરિષ્ઠ (સીનીયર) વકીલ સાહેબો તેમજ સને 2016-17 પહેલાના સમયગાળામાં વિવિધ તાલુકા બારના પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલા મહાનુભાવોનું પણ વિશેષ રીતે સન્માન કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવશે. તેમજ આ કાર્યક્રમના અંતે તમામ આમંત્રિતો માટે સ્વરૂચિ ભોજન રાખવામાં આવ્યું છે. ત્યારે મોરબી જિલ્લા સરકારી વકીલ વિજય ચંદ્રવદન જાની દ્વારા આ ગરિમાપૂર્ણ કાર્યક્રમ માટે જિલ્લાના તમામ વકીલ મિત્રો અને પત્રકાર જગતના મિત્રોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments