Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસીયારામ ગ્રેનાઈટોમાં પ્રજાસત્તાક દિને રક્તદાન કેમ્પ યોજાયો

સીયારામ ગ્રેનાઈટોમાં પ્રજાસત્તાક દિને રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીના રંગપર-બેલા રોડ પર સ્થિત સીયારામ ગ્રેનાઈટો પ્રાઇવેટ લિમિટેડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે સંસ્કાર બ્લડ સેન્ટર અને બ્લડ બેંક મોરબીના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના 70 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી રાષ્ટ્ર સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

આ કેમ્પને સફળ બનાવવામાં દેવેન્દ્રભાઈ બરાસરા, દિલીપભાઈ કાંજીયા અને જયપ્રકાશભાઈ બાવરવાએ ભારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક પ્રેમ સ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ સીયારામ ગ્રેનાઈટોના આ સેવાકીય અભિગમને બિરદાવ્યો હતો. તેમણે તમામ આયોજકો, રક્તદાતાઓ અને કંપનીના ઉત્સાહી યુવાનોનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments