શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ – મોરબી દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરના ઉદ્ઘાટન કોળી સમાજના દિગ્ગજ નેતા અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે સંતો, સમાજના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ તકે જણાવ્યું હતું કે, ઉત્તમ શિક્ષણ થકી ઉજ્જવળ સમાજનું નિર્માણ થાય છે. શિક્ષણ અને સમાજ ઉત્થાન માટેનું આ મહત્વપૂર્ણ પગલું આવનારી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી નવજીવન લઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટર યુવાનોને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં મદદરૂપ બનશે આજના મોબાઈલ યુગમાં લાઈબ્રેરીની ખુબ જરૂરિયાત છે ત્યારે સમાજે લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટર બનાવી નવી રાહ ચીંધી છે










