મોરબી : સ્વ.જયંતિલાલ ગંગારામ માણેક (ઉં.વ. ૮૬) તે સ્વ. ગંગારામભાઈ મોતીભાઈ માણેકના સુપુત્ર તથા સ્વ. નટવરલાલ ગંગારામભાઈ માણેક તથા કિશોરભાઈ ગંગારામભાઈ માણેકના મોટા ભાઈ તથા બીપીનભાઈ માણેક, જયશ્રીબેન પ્રવીણકુમાર કાનાબાર તેમજ મિતાબેન ચંદ્રેશકુમાર રાચ્છ ના પિતાશ્રી તેમજ જૈમીન માણેકના દાદા તથા સ્વ. માધવજી હીરજી સેજપાલના મોટા જમાઈ તા. ૧૧/૦૨/૨૦૨૬ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તારીખ : ૧૩/૦૨/૨૦૨૬, શુક્રવાર, સમય : ૫ થી ૬ કલાકે, શ્રી જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે. સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે









