સંત શિરોમણીશ્રી પૂ.જલારામ બાપા ની ૧૪૫મી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે સ્વ.દેવરામભાઈ કાથરાણી (હ.સ્વ.મનસુખભાઈ દેવરામભાઈ, જગદીશભાઈ દેવરામભાઈ, નિતીનભાઈ દેવરામભાઈ) પરિવાર ના સહયોગથી ધૂન-ભજન, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાયા હતા. જેમાં બહોળી સંખ્યા માં ભક્તજનોએ ઉપસ્થિત રહી પૂ.બાપા ની મહાઆરતી નો લાભ લીધો હતો તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.












