ગુજરાત સાહિત્ય અકાદમી અને રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે મોરબીમાં શનિવારે રાતે નવ વાગ્યે કવિ સંમેલન યોજાયનાર છે. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રામ વારોતરીયાના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે. ગુજરાતના જાણીતા કવિ શ્રી દિનેશ કાનાણી તથા શ્રી રાકેશ હાંસલિયા રાજકોટથી ઉપસ્થિત રહેશે. મોરબીના સાહિત્ય રસિકોને આ કવિ સંમેલનમાં ઉપસ્થિત રહેવા આયોજકો તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવે છે.
૨૧ ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે. જેના અનુસંધાને આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. કાર્યક્રમનો ઉદ્દેશ સમગ્ર મોરબી પંથકના સાહિત્ય રસિકોને લાભન્વીત કરવાનો છે. તો ચાલો સૌ માતૃભાષા દિવસ નિમિત્તે આપણી વહાલી એવી ગુજરાતી ભાષાનું ગૌરવજ્ઞાન ગાવા માટે આ કાર્યક્રમમાં સામેલ થઈએ.
સ્થળ: અરુણોદય હોલ, રસિકલાલ શેઠ બોયઝ હાઇસ્કુલ, ટેલીફોન એક્સચેન્જ પાસે, વસંત પ્લોટ, મોરબી.









