Sunday, February 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકચ્છથી વાંકાનેર કતલખાને લઇ જવાતા ૧૫ અબોલ જીવને ગૌરક્ષકોની ટીમે બચાવ્યા

કચ્છથી વાંકાનેર કતલખાને લઇ જવાતા ૧૫ અબોલ જીવને ગૌરક્ષકોની ટીમે બચાવ્યા

કચ્છથી વાંકાનેર કતલખાને ધકેલાતા ૧૫ અબોલ જીવોને ગૌરક્ષકોની ટીમે બચાવી લીધા હતા બે બોલેરો પીકઅપ વાહનમાં લઇ જવાતા ૧૫ અબોલ જીવોને બચાવી મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવ્યો હતો

વિશ્વ હિંદુ પરિષદ મોરબી, બજરંગ દળ અને હિંદુ યુવા વાહિની સહિતના હિંદુ સંગઠનોને બાતમી મળી હતી કે બોલેરો ગાડીમાં કચ્છથી માળિયા થઈને વાંકાનેર અબોલ જીવોને કતલખાને ધકેલવામાં આવનાર છે જેથી ગૌરક્ષકોની ટીમે લક્ષ્મીનગર ગામ પાસે વોચ ગોઠવી હતી એક બોલેરો પીકઅપમાં અબોલ જીવો ભરેલા હતા અને એક પાયલોટીંગ બોલેરો પીકઅપ સાથે હતી ગૌરક્ષકોની ટીમે બંને બોલેરો વાહન ઝડપી લીધા હતા જેની તપાસ કરતા ૧૫ અબોલ જીવો મળી આવતા છોડાવ્યા હતા અને ત્રણ ઇસમોને ઝડપી લઈને પૂછપરછ કરતા કચ્છથી વાંકાનેર સીટીમાં આવેલ ખાટકીવાસમાં લઇ જવાતા હોવાની કેફિયત આપી હતી જેથી મુદામાલ પોલીસ મથકે સોપવામાં આવ્યો અને અબોલ જીવને મોરબી પાંજરાપોળમાં મુકવામાં આવ્યા હતા

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments