મોરબી: ભારતીય જનતા પાર્ટી – મોરબી જિલ્લા આજે સાંજે 04:00 કલાકે જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારોના સન્માનાર્થે ‘અભિવાદન સમારોહ’નું આયોજન કમલમ – મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય, ભક્તિનગર સર્કલ પાસે, શક્ત શનાળા, મોરબી ખાતે કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનું અભિવાદન કરવામાં આવશે. આ પ્રસંગે ભાજપના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પક્ષના સનિષ્ઠ કાર્યકર્તાઓ અને શુભચિંતકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.









