Thursday, February 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લીલાપર પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ અને સ્નેહમિલનનો કાર્યક્રમ કાલે શુક્રવારે...

મોરબીના લીલાપર પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ અને સ્નેહમિલનનો કાર્યક્રમ કાલે શુક્રવારે યોજાશે

મોરબી : મોરબીના લીલાપર ગામે આવેલી લીલાપર પ્રાથમિક શાળા ૭૨ વર્ષ પૂર્ણ કરી રહી છે. આ શાળાની સ્થાપના ૨૭ ફેબ્રુઆરી ૧૯૫૪ના રોજ થઈ હતી. આ ગૌરવશાળી અવસરની ઉજવણીના ભાગરૂપે આગામી તારીખ ૨૭/૦૨/૨૦૨૬ ને શુક્રવારના રોજ રાત્રે ૮:૦૦ કલાકે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ (ઉદ્ઘાટન) કરવામાં આવશે. આ સાથે જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઉચ્ચ અભ્યાસ કરનાર વ્યક્તિઓનું સન્માન કરવાનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ ગીતાંજલી પાર્ટી પ્લોટ, લીલાપર, મોરબી ખાતે યોજાશે.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી અને ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહેશે. આ ઉપરાંત મોરબીના જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી અને જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલની ખાસ ઉપસ્થિતિ રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા અને પધારવા માટે સમસ્ત લીલાપર ગામ, લીલાપર પ્રાથમિક શાળા પરિવાર અને સમસ્ત ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ લીલાપર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments