મોરબી : ટંકારા પડધરી વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા લોકોના પ્રાણ પ્રશ્નો ઉકેલવા સતત પ્રયત્નશીલ હોય તેમના આ પ્રયાસો ફળીભૂત થતા ગુજરાત સરકાર દ્વારા મોરબીના નારણકા ગામે મચ્છુ નદી પર બંધાયેલા ચેકડેમના રીપેરીંગ માટે રૂ.1.47 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ તકે તેઓએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી કે, મારા મતવિસ્તાર મોરબી જીલ્લાના મોરબી તાલુકાના નારણકા ગામ ખાતે મચ્છુ નદી પર આવેલ હયાત ચેકડેમ રીપેરીંગના કામગીરી માટે રૂપિયા 1.47 કરોડની રકમ ફાળવવા બદલ ગુજરાત રાજ્યના મુદુ મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ગુજરાતના સિંચાઈ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માનું છું.











