Thursday, March 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના દલવાડી સર્કલ થી પ્રધાનમંત્રી આવાસ રોડ પરના દબાણો દુર કરાયા

મોરબીના દલવાડી સર્કલ થી પ્રધાનમંત્રી આવાસ રોડ પરના દબાણો દુર કરાયા

મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે ત્યારે બુધવારે બે સ્થળોએ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મોરબીના દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના તરફ જવાના રસ્તા પર કેનાલની સમાંતર આવેલા અંદાજે 30 જેટલા ઝૂંપડાઓને પાડી દેવામાં આવ્યા હતા. તેમજ શનાળા ગામથી આગળ જ્યાં વેસ્ટ ઝોન ઓફિસ બનવાની છે તે જગ્યાએ  ચાની અને પંચરની દુકાન સહિતના બે થી ત્રણ દબાણોને દૂર કરવામાં આવ્યા છે.

અ અંગે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે  દલવાડી સર્કલ પાસે જે ઝૂંપડા હટાવવામાં આવ્યા છે તે અગાઉ ગયા વર્ષે માર્ચ મહિનામાં પણ ડિમોલિશન કરીને હટાવવામાં આવ્યા હતા. પરંતુ ઝૂંપડાવાળા ફરીથી ત્યાં આવી ગયા હતા, જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને તકલીફ પડતી હતી અને જગ્યા પર દબાણ થતું હતું જેથી ફરીથી દૂર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ મુખ્ય રસ્તાઓ પર નડતરરૂપ ઝૂંપડા કે અન્ય સ્ટ્રક્ચર હશે તેને ‘વન વીક વન રોડ’ ઝુંબેશ અંતર્ગત દૂર કરવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments