જન્મભૂમિ મોરબીને જ પોતાની કર્મભૂમિ બનાવી જનરલ ઇન્સ્યોરન્સ એડવાઈઝર તરીકે જાણીતા અને ડી. કે. એન્ટરપ્રાઈઝના સ્થાપક સંચાલક વસંતભાઈ દેવશંકરભાઈ વ્યાસ વ્યવસાય કરવા સાથે ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર બની છેલ્લા 25 વર્ષથી પાર્ટી સાથે જોડાયા બાદ તેઓ સભ્ય, પેજ પ્રમુખ,વોર્ડ પ્રમુખ, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચાના સભ્ય તરીકે ઉલ્લેનીય સેવાઓ આપતા રહ્યા છે. વર્તમાનમાં જ તેમની જીલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચાના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા તેમની આ વરણીને ઠેરઠેરથી આવકાર મળવા સાથે વ્યાસ સમાજ સહિતના અન્ય સમાજ તેમજ તેમના વિશાળ ચાહકવર્તુળ દ્વારા તેમના પર અભિનંદન વર્ષા થઇ રહી છે.
મોરબી સ્થિત શ્રી વ્યાસ પ્રગતિ મંડળમાં તેઓ ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપવા સાથે મોરબીની અનેક સેવાકીય, સામાજીક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે. સહજ, સરળ વ્યક્તિત્વ ધરાવતા તેઓ રાષ્ટ્રહિતને સર્વોપરી માની પોતાનું ઉત્તમ દાઈત્વ નિભાવી રહ્યા છે.











