માનસર ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જતા બે યુવાનના કરુણ મોત થયા છે હળવદ પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનના વતની અને હાલ હળવદ કચ્છ ફ્રુટ માર્કેટ ખાતે રહીને કામ કરતા રાજુરામ કેશારામ જાટ (ઉ.વ.૨૦) અને ફરશારામ દમારામ જાટ એમ બંને યુવાનો ગત તા. ૧૯ નાર રોજ સવારના દસેક વાગ્યે માનસર નર્મદા કેનાલમાં ન્હાવા ગયા હતા અને પાણીમાં ડૂબી જતા હતા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે હળવદ પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે











