મોરબી : શહીદ દિવસ નિમિત્તે મોરબીના કમલમ ખાતે એક ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબીના શહીદ જવાન ગણેશ પરમારના પરિવારને આર્થિક સહાય અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
અજય લોરીયા દ્વારા સંચાલિત ‘સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન તેમજ જિલ્લા પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, પૂર્વ જિલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને મહામંત્રી ચતુરભાઈ મકવાણાના હસ્તે શહીદના પરિવારને 1,00,000 રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે કમલમ ખાતે દેશભક્તિના લાઈવ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને શહીદોની શહાદતને યાદ કરી હતી.











