સ્વ. નાથાભાઈ ડાભીની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન કરાવાયું
મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખ વિનોદભાઈ ડાભી તરફથી રાજકોટ સ્થિત સદભાવના વૃદ્ધાશ્રમમાં મોરબીના ગરીબ અને મધ્યમ વર્ગના લોકપ્રિય નેતા તેમજ ત્રાજપર ગામના ધુરંધર સ્વ. નાથાભાઈ ડાભીની શ્રદ્ધાંજલિ નિમિત્તે ભોજન સેવા યોજવામાં આવી હતી.
સ્વ. નાથાભાઈ ડાભી રાજકોટ જિલ્લા પંચાયતના મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા હતા તેમજ મોરબી તાલુકાના પ્રમુખ પદ પર રહી લોકહિતના અનેક કાર્યો કર્યા હતા. તેમના સેવાભાવી જીવનને યાદ કરતાં આ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર લોકોએ સ્વ. નાથાભાઈ ડાભીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી.













