Friday, August 8, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં કડવા પાટીદાર સમસ્ત ભોરણિયા પરિવારનું સ્નેહમિલન યોજાશે

મોરબીમાં કડવા પાટીદાર સમસ્ત ભોરણિયા પરિવારનું સ્નેહમિલન યોજાશે

મોરબીમાં કડવા પાટીદાર સમસ્ત ભોરણીયા પરિવારનું સ્નેહમિલન યોજાશે

મોરબીમાં કડવા પાટીદાર સમસ્ત ભોરણીયા પરિવાર દ્વારા ગત વર્ષે રજત જયંતિ મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે આગામી તા.5 જાન્યુઆરીને રવિવારના રોજ પટેલ સમાજવાડી નેકનામ ખાતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં બપોરે 3:30 કલાકે મહાનુભાવોનું આગમન થશે. બાદમાં પારિવારિક સ્નેહમિલન, તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ, 4:30 કલાકે રાસ ગરબા તેમજ સાંજે 5:30 થી 7 કલાક સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ રાત્રે 8 થી 10:30 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ સ્નેહમિલન કાર્યક્રમમાં તમામ ભોરણીયા પરિવારે પધારવા ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટ નેકનામ, તથા સમસ્ત ભોરણીયા પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments