Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabi10મેએ આમરણ ખાતે હઝરત દાવલસા પીરનો 532મો ઉર્ષ ઉજવાશે

10મેએ આમરણ ખાતે હઝરત દાવલસા પીરનો 532મો ઉર્ષ ઉજવાશે

મોરબી : આમરણ ગામે આવેલ હઝરત દાવલસા પીર (રહેમતુલ્લા અલા)નો તા. 10-5-2025ને શનિવારના રોજ 532મો ઉર્ષ ઉજવવામાં આવશે.

જેમાં શનિવારના રોજ ઉર્ષ નિમિતે બપોરે ન્યાજ જસદણવાળા હનીફભાઈ તરફથી અને સાંજે ન્યાજ જામનગરવાળા એરંડિયા ગૃપ તરફથી કરવામાં આવશે. શનિવારે રાત્રે 10 કલાકે દરગાહ શરીફમાં સંદલ ક્રિયા તથા ગુસલ શરીફ કરવામાં આવશે. ત્યારબાદ દરગાહના દ્વાર બંધ કરવામાં આવશે. રાત્રે 12 કલાકે યાત્રાળુઓના દર્શન માટે દરગાહ શરીફના દ્વાર ખોલવામાં આવશે. આ દરમ્યાન પહેલી સોળ (ચાદર) સૈયદ ઝાકીર હુસેન બાપુ માંગરોળ વાળા તરફથી ચડાવવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments