મોરબી : મોરબીના રાજપર ગામે યુવાને કોઈ કારણોસર હતાશ થઈને ગળેફાંસો ખાઈ જીવાદોરી કાપી નાખી હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના રાજપર ગામ નજીક આવેલ મિત્રા પોલીપેક નામની ફેકટરીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા કરણ બંટીલાલ બારોલીયા ઉ.32 નામના યુવાને ગઈકાલે સાંજે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.