Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiરાષ્ટ્રીય ચિકિત્સક દિવસ : ડોક્ટર દવાઓની સાથે આત્મીયતાથી પણ દર્દીને જીવવા માટે...

રાષ્ટ્રીય ચિકિત્સક દિવસ : ડોક્ટર દવાઓની સાથે આત્મીયતાથી પણ દર્દીને જીવવા માટે નવો હિંમત આપે છે. : ડો.દેવેન રબારી

મોરબી : દર વર્ષે 1 જુલાઈના રોજ આપણે ‘રાષ્ટ્રીય ચિકિત્સક દિવસ’ ઉજવીએ છીએ — એ દિવસ જ્યાં માત્ર એક વ્યવસાય નહિ, પણ માનવતા માટે સમર્પિત સેવા અને સંકટ સમયમાં આશાની કિરણ બની રહેલા ચિકિત્સકોને વંદન કરવામાં આવે છે.
ડોક્ટર – એક એવો વ્યક્તિ છે, જે માત્ર દર્દીઓની દવાઓ દ્વારા ઉપચાર કરતો નથી, પણ એમના શબદો, વ્યાવહારિક સંવેદના અને આત્મીયતા દ્વારા પણ દર્દીને જીવવા માટે નવો હિંમત આપે છે.

ડોક્ટર એ કરુણાનું જીતુંજાગતું સ્વરૂપ છે. દર્દી હોય કે તેનો પરિવાર – દરેકના દર્દને પોતાનું બનાવે છે. રાતરાતભર જાગીને, પોતાની તકલીફો ભૂલીને, બીજાના આરોગ્ય માટે અવિરત શ્રમ કરે છે.
ડોક્ટર માત્ર શારીરિક રોગોથી લડી રહેલા દર્દીઓના ઉપચારક નથી, પણ તે જીવતા જગતા સંવેદનાના સ્તંભ છે. તેઓ કરુણાનું સાકાર રૂપ છે — દર્દીથી દર્દીને, પારિવારિક મૂડથી લઇને જીવનમૃત્યુના સંકટ સુધી, તેઓ સતત લોકોના દુઃખદર્દને પોતાની વ્યક્તિગત ભાવનાઓથી ઊંચા રહીને વહેંચે છે.

તેમની કૌશલ્યતા એ માત્ર વ્યવસાયિક શિક્ષણનું પરિણામ નથી, પણ વર્ષો સુધીની અવિરત મહેનત અને સતત અભ્યાસથી ઊભી થયેલી ક્ષમતા છે. તેઓ નવીનતાઓ અપનાવે છે, સતત અપડેટ રહે છે, અને દરેક દર્દી માટે પોતાની રીતે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે — અને એ દરેક પ્રયાસ પાછળ છુપાયેલું હોય છે એક મૌન કૃતજ્ઞતાભર્યું હૃદય.

ડોક્ટરોની કर्तવ્યનિષ્ઠા એ શબ્બદોથી પાર છે. પણ અમુક ક્ષણો એવું સમજાવે છે કે તેઓ માનવી હોવા છતાં મહાન કાર્ય માટે જીવન સમર્પિત કરે છે. ક્યારેક પોતાની પરિવારજનોથી દૂર રહીને પણ, દર્દીના માટે રાતરાતભર ચિંતિત રહેવા તૈયાર રહે છે.

જે રીતે એક સૈનિક દેશની સરહદ પર લડે છે, તેમ એક ડોક્ટર આપણા શરીર અને જીવનની અંદર ચાલી રહેલી અસંતુલન સામે સતત જંગ લડે છે — પણ એ યુદ્ધ શસ્ત્રોથી નહીં, સંવેદના અને વિજ્ઞાનના સાધનો દ્વારા થાય છે.

આજે જ્યારે આપણે સ્વસ્થ અને સશક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા ઈચ્છીએ છીએ, ત્યારે ડોક્ટરોની ભુમિકા એક મૌન આધારે રૂપમાં કામ કરે છે. તેઓ છે ત્યારે જ સમાજ સ્વસ્થ છે, પરિવારો શાંત છે, અને જીવનમાં આશા જીવંત છે.
અંતે, મારી હ્રદયપૂર્વકની શુભકામનાઓ છે કે તમામ ચિકિત્સક મિત્રોનો આપ સૌના સમર્પણ અને સેવા માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. પ્રભુ સમક્ષ પ્રાર્થના છે કે આપની ઉર્જા હંમેશાં લોકમંગલ માટે સમર્પિત રહે.

(-વિનમ્ર નમન અને અભિનંદન સાથે,
ડો.દેવેન રબારી
સંસ્થાપક, યંગ ઈન્ડિયા ગ્રુપ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments