Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના રફાળેશ્વર મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પિતૃતર્પણ કર્યું

મોરબીના રફાળેશ્વર મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પિતૃતર્પણ કર્યું

મોરબી :આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને આ છેલ્લા દિવસે સોમવાર હોય તેમજ સોમવતી અમાસ એમ ત્રિવેણી સંગમ ઉપર મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પિતૃતર્પણ કરવા ઉમટી પડ્યા હતા. સૌ પ્રથમ મોટી સંખ્યામાં લોકોએ આજે વહેલી સવારથી જ રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાદેવની કૃપા મેળવવા ઉમટી પડ્યા હતા અને શિવભક્તોની લાંબી લાઈનો લાગી હતી. દરેક લોકોએ પહેલા શિવ દર્શન કર્યા હતા અને શિવલીગ ઉપર બીલીપત્ર દૂધ સહિતનો અભિષેક કરી ભગવાન ભોળીયાનાથની કૃપા મેળવીને ધન્યતા અનુભવી હતી. તેમજ વર્ષોનો મહિમા મુજબ મોરબી શહેર અને આસપાસના ગામો તેમજ વાંકાનેર અને સૌરાષ્ટ્રના મોટી સંખ્યામાં લોકો રફાળેશ્વર મંદિરે આજે અમાસના દિવસે પિતૃતર્પણ કરવા ઉમટી પડ્યા હતા.મોટી સંખ્યામાં લોકોએ રફાળેશ્વર કુંડમાંથી પાણી લઈ કળશથી પ્રાચીન પીપળે જળાભિષેક કરીને પિતૃતર્પણ કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments