મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે જાંબુડીયા અને પાનેલી શકિતકેન્દ્ર ની મોદી પરીવાર સભા મા 7 ગામ ના આગેવાનો તથા કાર્યકર્તા ભાઇઓ- બહેનો એ ભાગ લીધો હતો.
મોદી પરીવાર સભામા મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા તથા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા એ જણાવ્યુ હતુ કે ભારત ના વડાપ્રધાન જ્યારે બધા ભારત વાસી ઓ ને એક પરીવારજન ગણતા હોય તેમજ પરીવાર ના મોભી બની યુવા, ગરીબ, મહિલા, ખેડુતો ના ઉત્થાન માટે સતત 16 કલાક મહેનત કરતા હોય એવા પ્રધાનમંત્રી ને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા હાકલ કરી હતી તેમજ આગામી ચુટણી મા સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસ ના સુત્ર ને સાર્થક કરી આગામી 2047 સુધી માં ભારત દેશ ને વિકસિત ભારત બનાવવા ના મોદી સાહેબ ના સંકલ્પ ને પરિપૂર્ણ કરવા રાજકોટ લોકસભા ના ભાજપ ના ઉમેદવાર શ્રી પરસોતમ ભાઇ રુપાલાજી ને વિજયી બનાવવા અપીલ કરી હતી

