મોરબીના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ ૩ સિંચાઈ યોજનામાં પાણી નદીમાં છોડવાની જરૂરીયાત ઉભી થતા આજે ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે તેવી માહિતી ડેમ અધિકારી પાસેથી પ્રાપ્ત થઇ છે
જેથી મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુલકા, જુના સાદુલકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા (મી), હરીપર અને ફતેપર એમ બે તાલુકાના ૨૦ ગામોને એલર્ટ આપવામાવ્યું છે જેથી ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર ના કરવા સુચના આપવામાં આવી છે


