




મોરબી : મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે આજે 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આચાર્ય ગણેશ ગુરુજી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રસ્તુતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન રાધનપુરા મયંકભાઈ કર્યું હતું. તેમજ આકાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરી આપી હતી.