






રીઝનલ કમિશ્નર મહેશ જાની તાજેતરમાં મોરબી નગરપાલિકા ખાતે પધાર્યા હતા ત્યારે મોરબી આવાસ યોજના, ઈમ્પેક્ટ ફી, ૪૫ ડી, નંદી ઘર સહિતના શહેરના પ્રાણ પ્રશ્નો મામલે કોંગ્રેસ આગેવાનોએ ચર્ચા કરી હતી
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, શહેર કોંગ્રેસ મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ, જીલ્લા મહામંત્રી ગીરીરાજસિંહ જાડેજા, યુવા પ્રમુખ સંદિપભાઈ કાલરીયા, સતિષભાઈ પટેલ સહિતનાં આગેવાનો આ વેળાએ ઊપસ્થિત રહ્યા હતા.