Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiવિરપર ગામે તળાવમાં ડૂબલા બે વ્યક્તિના મૃતદેહ મળ્યા

વિરપર ગામે તળાવમાં ડૂબલા બે વ્યક્તિના મૃતદેહ મળ્યા

મોરબી : ટંકારા તાલુકાના વિરપર ગામે સ્મશાન પાસે આવેલ તળાવમાં કોઝવે ઓળંગતી વખતે ડૂબી ગયેલ બે વ્યક્તિના મૃતદેહ ફાયર વિભાગની ટીમે શોધી કાઢ્યા છે.

ટંકારા તાલુકાના વિરપર ગામે સ્મશાન પાસે આવેલ તળાવમાં કોઝવે ઓળંગી સામે કાંઠે રીક્ષા લેવા જતા હતા તે દરમ્યાન કોઝવે ઓળંગી વખત પગ લપસી પડી જતા બે વ્યક્તિ ડુબી ગયેલ હોવાની મોરબી ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ શોધખોળ હાથ ધરી હતી ભારે જહેમત બાદ તળાવમાં ડૂબી ગયેલ પ્રવિણભાઇ નરશીભાઈ સનાળીયા (ઉ.વ.૪૨) તથા પ્રેમજીભાઈ ભગવાનજી સનાળીયા (ઉ.વ.૩૫) રહે. બંને વિરપરવાળાના મૃતદેહ મળી આવ્યા છે. સુત્રો અનુસાર હાલ ડેડબોડીને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments