
છેલ્લા દસ વર્ષથી પદયાત્રીઓ માટે ઓમ શકતી ગ્રુપ કરે છે કેમ્પ નું આયોજન
મોરબી : માં આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ સમાન નવરાત્રી નજીક આવતા નવરાત્રી નિમિતે કચ્છમાં બિરાજમાન આશાપુરા માતાના દર્શન કરવાનું અનેરું મહત્વ હોય દૂર દૂરથી સેંકડો લોકો પગપાળા ચાલીને માતાના દરબારમાં શીશ ઝુકાવે છે. ત્યારે મોરબીના શકત શનાળા ગામે સગંમ વોટર પાર્ક, હુડાઈ શો રૂમની બાજુમાં દર વર્ષની માફક આ વર્ષે પણ 24 સપ્ટેમ્બરથી ઓમ શક્તિ ગ્રુપ દ્વારા કચ્છ આશાપુરા માતાના મઢે જતા પદયાત્રિકોની સેવા માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચા-પાણી, રહેવા જમવા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનો પદયાત્રિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.ઓમ શકતી ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામા આવ્યા છે.
- દિગુભા ઝાલા-96389 77777
- યુવરાજ સિંહ ઝાલા-92282 00002
- ધર્મેન્દ્રસિંહ ઝાલા-96017 99999
- પ્રદીપસિંહ ઝાલા-94272 36700
- હરેન્દ્રસિંહ ઝાલા-90169 22222
પદયાત્રીઓ ને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ પડે તો નંબરો ઉપર સંપર્ક કરી શકશે.








