





મોરબી : મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આગામી તા.5 થી 7 ઓકટેબર સુધી ન્યુ પેલેસ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રી દિવસીય નવરાત્રી મહોત્સવમાં ક્ષત્રિય સમાજની બહેનો રાસ ગરબે રમી માતાજીની આરાધના કરશે. આ નવરાત્રી મહોત્સવને મોરબી રાજવી પરિવારના મહારાણી શ્રી વિજયકુંવરબા સાહેબ શુભેચ્છાઓ પાઠવે છે. આ નવરાત્રી મહોત્સવમાં સમાજની તમામ દીકરીઓને રાસ ગરબા રમવા મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજાએ ભાવભીનું નિમત્રણ પાઠવ્યું છે.
