નીલકંઠ વિદ્યાલય મોરબી ખાતે શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકૂલ, મોરબીનું ‘બાળ વિજ્ઞાન પ્રદર્શન-2024-25 આયોજન કરવામાં આવ્યું હતું.



રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત–વિજ્ઞાન જેવા અઘરા ગણાતા વિષયોમાં રસ રુચી વધે, વિદ્યાર્થીઓમાં નવી વિચાર શક્તિ ખીલે તેમજ વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે, નવું નવું જાણવા મળે અને નવું નવું શીખવા મળે તે હેતુથી “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” નું શાળા વિકાસ સંકુલ કક્ષાએ આયોજન કરવામાં આવે છે.
શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ, મોરબીના કન્વીનર અતુલભાઈ પાડલિયાના જણાવ્યા મુજબ G.C.E.R.T. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ તરફથી વર્ષ 2024-25ના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જુદા જુદા પાંચ વિભાગ રાખવામાં આવેલ જેનો મુખ્ય વિષય Science and Technology for Sustainable Future હતો. જે અનુસંધાને તા. 05/10/2024ના શનીવારના નીલકંઠ વિદ્યાલય મોરબી ખાતે શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકૂલ, મોરબીના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી કુલ 40 કૃતિમાં કુલ 80 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો, દરેક વિભાગમા ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ઈનામ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓની કૃતિ હવે પછી જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે.






મોરબી ડાયટ કચેરીના પ્રચાર્ય શ્રી સુરેલીયા સાહેબ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદેદારો શ્રી મનોજભાઈ ઓગાણજા, નરેશભાઈ સાણજા, નિલેશભાઈ કુંડારિયા, હર્ષદભાઈ કાવર, જીતુભાઇ વડસોલા, યોગેશભાઈ ઘેટીયા, વિજયભાઈ ભાડજા, નવનીતભાઈ કાસુન્દ્રા, સુનિલભાઈ દેથરીયા અને તમામ ખાનગી તથા સરકારી શાળાના આચાર્યશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા વિજ્ઞાન પ્રદર્શનને રીબીન કાપી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા નીલકંઠ વિદ્યાલયનાં સ્ટાફ મિત્રો અને તમામ શાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન એસ. વી. એસ. કન્વીનર શ્રી અતુલભાઈ પાડલિયા તથા સહ કન્વીનર રાજેશભાઈ ચનીયરા દ્વારા કરવામાં આવ્યું હતું. જેઓ આ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને જેઓ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન એસ. વી. એસ. કન્વીનર અતુલભાઈ પાડલિયા તથા સહ કન્વીનર રાજેશભાઈ ચનીયરા દ્વારા કરવામાં આવ્યું હતું. જેઓ આ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને જેઓ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.