મોરબી : મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા તા.12ને શનિવારના રોજ વિજયા દશમીએ બપોરે 2:30 કલાકે શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું અયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહારાણા પ્રતાપ સર્કલ, સામાકાંઠેથી શક્તિ માતાજીના મંદિર સુધી મહારેલી નીકળશે. બાદમાં શક્તિ માતાજીના મંદિર ( શક્ત શનાળા) ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના ભાઈઓ રજવાડી પોશાકમાં તલવાર અંર સાફા સાથે જોડાશે. તેમ મહામંત્રી મહાવીરસિંહ જાડેજા અને પ્રમુખ દશરથસિંહ ઝાલાની યાદીમાં જણાવાયું છે.
