મોરબી : મોરબી -વાંકાનેરમાં અને ઉપરવાસમાં વરસાદને કારણે પહેલેથી ઓવરફ્લો રહેલા મોરબી: મચ્છુ-2 ડેમનો એક દરવાજો બે ફૂટ પર ખોલવામાં આવ્યો છે. ડેમ 100 ટકા ભરેલ હોઈ અને ઉપરવાસથી પાણીની આવક ચાલુ હોઈ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે.

1295 ક્યુસેક પાણીની આવક ચાલુ થતા એક દરવાજો ખોલી 1295 ક્યુસેક પાણીની જાવક ચાલુ કરવામાં આવી છે. મોરબી અને માળીયા તાલુકાના નીચાણવાળા 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મોરબી તાલુકના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા અને અમરનગર ને એલર્ટ કરવામાં આવ્ય તેમજ માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી) ને એલર્ટ કરવામાં આવ્યા છે