Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં આપઘાત દુષ્પ્રેરણાના ગુનામાં આરોપીના જામીન મંજુર કરતી કોર્ટ

મોરબીમાં આપઘાત દુષ્પ્રેરણાના ગુનામાં આરોપીના જામીન મંજુર કરતી કોર્ટ

મોરબીમાં આપઘાતના ચકચારી બનાવમાં મરવા મજબુર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવતા ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી તપાસ ચલાવવામાં આવી હતી જેમાં આરોપી સવજીભાઈ ગાંડુભાઈ ફેફર દ્વારા વકીલ આશિષ ડી ચાવડા મારફત મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા ચકચારી પ્રકરણના ગુનામાં આરોપીના શરતી જામીન સેસન્સ કોર્ટે મંજુર કર્યા છે

જેમાં આરોપી તરફે મોરબીના યુવા વકીલ આશિષ ડી ચાવડા રોકાયેલ હતા જેની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતા આરોપી તરફેના વકીલ આશિષ ચાવડાએ કોર્ટમાં ધારદાર દલીલો રજુ કરી હતી તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરતા દલીલોને માન્ય રાખી સેસન્સ કોર્ટે શરતી જામીન મંજુર કર્યા છે

જે કેસમાં આરોપી તરફે મોરબીના યુવા એડવોકેટ અલ્પેશ હાલ્પરા, આશિષ ચાવડા, સુરેશ વાઘાણી, મીતરાજસિંહ જાડેજા, મનદીપસિંહ ઝાલા રોકાયેલ હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments