Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોરબી: સમગ્ર શિક્ષા વોકેશનલ એજ્યુકેશન વર્ષ ૨૦૨૪ માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ ની જોગવાઈ મુજબ ધો ૬ થી ૮ ના વિદ્યાર્થીઓને પ્રિ વોકેશનલ એજ્યુકેશન NCERT ની ગાઈડલાઈન મુજબ મળી રહે તે હેતુથી ‘બેગલેસ ડે’ અંતર્ગત મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં ગઇકાલે ઇતિહાસકાર, કવિ, લેખક બનવા માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

લેખન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે કઈ- કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ રીતે અવલોકન શક્તિ વિકસાવવી વગેરે બાબતે મોરબીના મોટીવેશનલ સ્પીકર, લેખક, ઇતિહાસકાર, નાટ્યકાર, કવિ જલરૂપ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કવિ જલરૂપ દ્વારા દેશી રાજા રજવાડાંઓના ફોટાઓનું પ્રદર્શન શાળામાં ગોઠવવામાં આવ્યું હતું. જેથી શાળાના આચાર્ય જલ્પેશભાઈ વાઘેલાએ કવિ જલરૂપ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments